વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરના બાપુ સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ બાપુને સમાધિ આપી હતી.આમ.આવા મહાન અત્માંનો દેહ પંચમહાભુતોમાં વિલીન થયો.તેમની સમગ્ર વિધિ તેમના કહ્યા મુજબ કરવામાં આવી હતી, આવા મહાન આત્માંને કોટી કોટી વંદન
About FATESVAR MAHADEV

- FATESVAR MAHADEV
- at:arena ta:mangrol dis:junagadh વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય ઇ.સ. 1955 માં થયું છે.જે ખંડિત મૂર્તિ હતીં ઇ.સ.1959 માં શ્રી પ્રગટનાથજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી ઇ.સ.1965 માં પૂ.સ્વામી ગુરુચરણાનંદ તીર્થ ફતેશ્વરમાં બિરાજમાન થયા અને તેમણે ફતેશ્વર સંન્યાસ આશ્રમની સ્થાપના કરી.અને તેમણે અનેક સાધનાઓ કરી. ફતેશ્વર મહાદેવના મંદિર માં મહાશિવરાત્રીના દિવસે મહાપૂજા થાય છે શ્રાવણી અમાસના દિવસે બિલીપત્રથી મહાપૂજા થાય છે તેમજ લીલા નાળિયેરનો શિવજી પર અભિષેક કરવામા આવે છે.ઋષિપંચમીના દિવસે લોકમેળો યોજાય છે..